નર્મદારાજનીતિ

સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, અમે ઇંટનો જવાબ પથ્થરથી આપશું

વાંસદાના કોંગી ધારાસભ્યની ટીપ્પણીનો જાહેરમાં જવાબ

બિરસામુંડાની જન્મજયંતિએ નેત્રંગમાં પ્રતિમાના અનાવરણ અવસરે આવેલાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને આડે હાથ લીધાં હતાં અને કહયું હતું કે, અહીંના સાંસદ બહુ બળબળાટ કરે છે અને તે સાચા આદિવાસી હોય તો ઘરે ઘરે બિરસા મુંડાની પ્રતિમા તેમણે મુકાવવી જોઇએ. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા તેમની પાર્ટી જ નહિ પણ વિપક્ષી પાર્ટીઓ પર પણ નિશાન સાધતા રહે છે.

કોંગી ધારાસભ્ય અનંત પટેલે કરી ટીપ્પણીનો આજે તેમણે જાહેરમાં જવાબ આપ્યો હતો અને કહયું કે, એક ધારાસભ્ય તરીકે તે આવી વાત કરે છે, જોઈને જ હસવું આવે છે. હું બળબળાટ નથી કરતો, પરંતુ આપ અને કોંગ્રેસ વાળા જે નાટક કરે છે, આરોપો મૂકે છે તેનો હું જવાબ આપું છું.

જો હું સાચો આદિવાસી હોવ તો મારે બિરસા મુંડાની પ્રતિમા ઘરે ઘરે મુકાવી જોઈએ તો એમને મારે કહેવું છે કે બિરસા મુંડા વિશે તમારા કરતા હું વધારે જાણું છું. અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીએ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button