ગુનોડાંગરાજનીતિ

જુના મકાન પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની તકતી લગાવી સહાય મેળવી

ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે, ભાજપ શિસ્તબંધ પાર્ટી છે અને ભ્રષ્ટાચારને મુકત શાસન આપવાની વાતો કરે છે તેમ છતાં ડાંગ જિલ્લો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે. સરપંચથી લઈને જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ છે, તેનો ઊતમ ઊદાહરણ જાખાનાં ગ્રામ પંચાયતનાં સરપંચ કેલુબેનના પતિ સંજયભાઈ દેવરામભાઈ વળવી છે.

સંજયભાઈએ વર્ષ 2022-2023માં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાં હેઠળ પાકુ મકાન બાધવા માટે રૂ.1.20 લાખની સહાય મેળવી છે પરંતુ સ્થળ પર તેઓએ પાકુ મકાન બાધ્યું નથી. તેની જગ્યાએ તેઓ સરકારનાં નિતિ-નિયમોની અવગણના કરી તેમના પિતાના જૂના કાચા મકાન પર સહાય મેળવ્યાની તકતી લગાવી કાચા મકાન પર પાકુ મકાન બતાવી સહાય મેળવી લીધી છે. જાખાના ગ્રામ પચાયતનાં સરપચ કેલુબેન સામે ટીડીઓ અને ડીડીઓ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ. જો સરપંચનાં પતિ સરકારનાં નિતિ-નિયમોની અવગણના કરતા હોય તો અન્ય આવાસ લાભાર્થીઓ પણ સરકારનાં નિતિ-નિયમો વિરુદ્ધ સહાયનો લાભ મેળવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button