રાજનીતિરાજસ્થાન

કૉન્ગ્રેસ સત્તા પર આવશે તો સમગ્ર દેશમાં જ્ઞાતિ આધારિત સર્વે કરાવીશું : રાહુલ ગાંધી

રાજસ્થાનની ચૂંટણી-રૅલીમાં બીજેપી અદાણીના ખિસ્સામાં રૂપિયા ટ્રાન્સફર કરતી હોવાનો કૉન્ગ્રેસના નેતાએ કર્યો આક્ષેપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે રાજસ્થાનના ચુરુવા તારાનગર અને હનુમાનગઢના નોહરમાં વિધાનસભા ચૂંટણી-રૅલીને સંબોધતાં કહ્યું હતું કે જો કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને શરૂ કરવામાં આવશે. વડા પ્રધાન મોદીની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ‘મોદીજી ગૅરન્ટી આપે છે એનો અર્થ અદાણીની ગૅરન્ટી છે. કૉન્ગ્રેસ જ્યારે ગૅરન્ટી આપે છે ત્યારે ખેડૂતો, મજૂરો અને યુવાનોના લાભ માટે હોય છે, આ ફરક છે. મોદીની ગૅરન્ટીનો અર્થ અદાણીની સરકાર છે, જ્યારે અમારી ગૅરન્ટીનો અર્થ ખેડૂતો, મજૂરો, પછાત, દલિત અને આદિવાસીઓની સરકાર છે. અમે ગરીબના ખિસ્સામાં રૂપિયા ટ્રાન્સફર કરીએ છીએ, તેઓ અદાણીના ખિસ્સામાં મૂકે છે. જો કૉન્ગ્રેસ સરકાર સત્તા પર આવશે તો અમે સમગ્ર દેશમાં જ્ઞાતિ આધારિત સર્વે શરૂ કરાવીશું. અમે પછાત લોકોને વધુ ને વધુ સત્તા આપીશું, જેઓ દેશની કરોડરજ્જુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button