![](http://transparencynews.in/wp-content/uploads/2024/02/દેલાડ.webp)
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ ગામ ખાતે આજરોજ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો એકઠા થયા હતા અને વિવિધ પડતર માંગણીઓને લઇને બજારો બંધ કરાવે એ પહેલાં જ ઓલપાડ પોલીસે તમામ આગેવાનોને ડીટેન કર્યા હતા. પોલીસ મથક ખાતે લઇ ગયા હતા.
ભારતના ખેડૂતો દ્વારા એમ.એસ.પી.કાયદો બનાવી લાગુ કરવા ખેડૂતો અને ખેતમજૂરોને પેંશન આપવા જમીન સંપાદન કાયદો 2013નો સુધારો રદ કરવા, ખેડૂતોના દેવા માફ કરવા, ખેતીમાં વપરાતા સાધનો અને ઓજારો ઉપર ટેક્ષ દૂર કરવા, ખેડૂતો ઉપર કરવામાં આવતા અત્યાચાર બંધ કરવા, કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ બંધ કરવા સહિતની માગોને લઈ આપવામાં આવેલ “ભારત બંધ” ના એલાનના સમર્થનમાં શાંતિપૂર્વક ખેડૂત સમાજ દ્વારા ધરણા કરે તે પેહલાં જ ઓલપાડ પોલીસે તમામને ડિટેન કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાના ખેડૂતો પણ મક્કમતાથી પોતાના હક્ક માટેની લડાઈમાં દિલ્હી-હરિયાણા-પંજાબની બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે છે. આવનારા દિવસોમાં પણ ખેડૂત યુનિયનો દ્વારા જે કાર્યકમ આપવામાં આવશે તે તમામ કાર્યકમો સુરત જિલ્લામાં પણ કરાશે તેવું દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું.