નર્મદા

સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સભ્યોએ સરપંચ વિરુદ્ધ ટીડીઓને આવેદન આપી અવિશ્વાસની દરખાસ્ત મુકી

નર્મદા જિલ્લાના પાંચ તાલુકા પૈકી સાગબારા એક તાલુકો છે જેનું સાગબારા મુખ્ય ગામ છે. અંદાજે 2000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં સાગબારા ગ્રુપ ગ્રામપંચાયત છે. જેમાં સાગબારા, પાનખલા, ઘોડાદેવી, ઘનશેરા, કનખાડી, જીતનગર, ચિત્રાકેવડી જેવા 7 ગામોનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ તેને આજે 3 વર્ષ થવા આવ્યા છતાં સાગબારા ગામમાં સાફ સફાઈ, રોડ રસ્તા તેમજ લાઈટ ની કોઈ વ્યવસ્થા થતી નથી ગ્રામજનો વોર્ડના સભ્યોને આ સમસ્યા બતાવે છે. તો સરપંચ વોર્ડના સભ્યોનું સાંભળતા નથી તેવું ગ્રામજનોનું કહેવું છે.

સાગબારા ગ્રામપંચાયત સભ્ય આરાધના બેન વસાવાએ જણાવ્યું હતું કે, સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અમૃતા બહેન છે, પરંતુ ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ વિરસિંગભાઈ કરે છે, જે સાગબારા તાલુકાના કનખાડી ગામે રહે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ કોઈ કામ કરતા નથી અને તેમના પતિ બધોજ વહીવટ કરે છે. ગ્રામજનો તેમજ સભ્યોનો આક્ષેપ છે કે સરપંચને સાગબારામાંથી વોટ નથી મળ્યા માટે સાગબરામાં કોઈ કામ થાય નહિ તેવું સરપંચનું કહેવું છે. સાગબારાના વોર્ડ નંબર 4ની મહિલાઓએ આક્રોશ સાથે સાગબારાના સરપંચને હટાવવાની માંગ કરી હતી. સાથે જ તમામ સભ્યોએ સાગબારા TDOને આવેદન આપી સરપંચને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી હતી.

ગ્રામજનોની સમસ્યા સામે સરપંચ પતિ સભ્યોનું ના સાંભળતા ગ્રામજનો તેમની સમસ્યા નિવારણ સ્વખર્ચે કરવા હાલ મજબૂર બન્યા છે. માટે જ ગ્રામજનો તેમજ સભ્યોએ સાગબારા સરપંચને હટાવવાની આજે ઉગ્ર માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button