IPL 2024

ચાલું મેચમાં અર્જુન તેંડુલકરનો પિત્તો ગયો,જાણો કોને આપી દીધી ધમકી

અર્જુન તેંડુલકરનો લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીને ધમકી આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિકેટ ન મળવા પર અર્જુને કેવી રીતે ગુસ્સો વ્યક્ત કર્યો તે જુઓ.

મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રમવાની તક આપી. અર્જુને IPL 2024માં તેની પ્રથમ મેચ રમી હતી, જે તેના માટે ઉતાર-ચઢાવથી ભરેલી હતી. જ્યાં તેને પહેલી જ ઓવરમાં વિકેટ મળવાની હતી, પરંતુ રિવ્યૂ બાદ ટીવી અમ્પાયરે તેને નકારી રાઢ્યું. પ્રથમ બે ઓવર તેના માટે જબરદસ્ત રહી, પરંતુ ત્રીજી ઓવરમાં તેણે પહેલા બે બોલમાં બે સિક્સર પડી. જો કે ઈજાના કારણે તે મેચની વચ્ચે ડ્રેસિંગ રૂમમાં ગયો હતો, પરંતુ મેદાન પર તેનો માર્કસ સ્ટોઈનિસને ધમકી આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અર્જુન તેંડુલકર તેના સ્પેલની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો, જેનો છઠ્ઠો બોલ માર્કસ સ્ટોઇનિસે સીધા બેટ વડે બચાવ્યો હતો. બોલ અર્જુન તરફ પાછો ગયો, જે બાદ અર્જુને આંખો કાઢીને સ્ટોઇનિસને ધમકાવ્યો અને બોલ મારવાનો ઈશારો કરીને તેને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો. આ ઘટના જોઈને સ્ટોઈનિસના ચહેરા પર પણ સ્મિત જોવા મળ્યું. તેના ચહેરા પરની પ્રતિક્રિયા એકદમ ચોંકાવનારી હતી. એ જ ઓવરનો બીજો બોલ માર્કસ સ્ટોઈનિસના પેડ પર વાગ્યો, જેના પર અમ્પાયરે આંગળી ઉંચી કરીને એલએસજીના બેટ્સમેનને આઉટ જાહેર કર્યો. અર્જુન અને એમઆઈના ખેલાડીઓએ વિકેટની ઉજવણી કરવાનું શરૂ કર્યું, પરંતુ સ્ટોઈનિસને લાગ્યું કે બોલની એઝ પેડની ઘણી ઉપર લાગી છે જ્યારે તેણે રિવ્યુ લીધો તો જાણવા મળ્યું કે બોલ વાસ્તવમાં સ્ટમ્પની ઉપરથી પસાર થઈ રહ્યો હતો.

શું અર્જુન તેંડુલકરે IPLમાં કોઈ વિકેટ લીધી છે?

જોકે, અર્જુન તેંડુલકરને IPL 2024માં માત્ર એક જ મેચમાં બોલિંગ કરવાની તક મળી હતી, જેમાં તેણે 14 બોલમાં 22 રન આપ્યા હતા. અગાઉ 2023માં તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે 4 મેચ રમવાની તક મળી હતી. તેણે IPL 2023માં SRH, PBKS અને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં એક-એક વિકેટ લીધી હતી. આમાં, તે અનુક્રમે ભુવનેશ્વર કુમાર, પ્રભસિમરન સિંહ અને રિદ્ધિમાન સાહાની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. અર્જુન તેની કારકિર્દીમાં અત્યાર સુધી માત્ર 3 વિકેટ જ લઈ શક્યો છે.

લખનૌએ મુંબઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. પ્રથમ 10 ઓવરમાં લખનૌનો સ્કોર 3 વિકેટે 69 રન હતો. જો કે આ પછી નિકોલસ પુરને માત્ર 29 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 75 રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. જ્યારે કેએલ રાહુલે 41 બોલમાં 55 રન બનાવ્યા હતા. લખનૌએ છેલ્લી 10 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નુવાન તુશારા અને પીયૂષ ચાવલાએ 3-3 વિકેટ લીધી હતી.

Related Articles

Back to top button