દેશરમતગમત

સાઉથ આફ્રિકા વિરૂદ્ધ T-20માં ભારતની સતત ત્રીજી હાર, પ્લેઇંગ 11માંથી આ ખેલાડીને OUT કરવો ટીમ ઇન્ડિયાને પડ્યું ભારે!

ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવે એક એવા ખેલાડીને પ્લેઈંગ 11માં ચાન્સ નથી આપ્યો જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.

  • આ ખેલાડી પ્લેઈંગ 11થી બહાર 
  • ટીમ ઈન્ડિયાને તેના કારણે થયુ નુકસાન 
  • ગુમાવવી પડી મહત્વની મેચ

ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝની બીજી મેચ મંગળવારે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાની હારની સાથે જ તે આ સીરીઝમાં 0-1થી પાછળ થઈ ગઈ છે.

વરસાદના કારણે બંધ થયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એક એવા ખેલાડીને પ્લોઈંગ 11થી બહાર કર્યો કે જેણે હાલના સમયમાં ટી20માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીના દમપર ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી સીરીઝમાં ઓસ્ટ્રિલાયને 4-1થી મ્હાત આપી હતી. આવો જાણીએ કે આ ખેલાડી કોણ છે.

આ ખેલાડીને પ્લેઈંગ 11માં ન મળી તક 
ટી20 સીરિઝના બીજા મુકાબલામાં સાઉથ આફ્રીકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વરસાદથી બંધ થયેલી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 19.3 ઓવરમાં 180 રન બનાવ્યા.

ત્યાર બાદ વરસાદે એક વખત ફરીથી ખલેલ પહોંચાડી અને DLSના નિયમોના અનુસાર સાઉથ આફ્રીકાને જીત માટે 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચમાં ટોસ વખતે ફેંસ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 જોવા માંગતા હતા. પરંતુ બધા ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે પ્લેઈંગ 11માં રૂતુરાજ ગાયકવાડનું નામ શામેલ ન હતું.

ઋતુરાજ ગાયકવાડને સૂર્યાએ બીજી ટી20 મેચમાં પ્લેઈંગ 11માં તક ન આપી. તેના પાછળનું કારણ હતું તેમનું બિમાર પડવું. રૂતુરાજે ઓસ્ટ્રેલિયાના સામે રમાયેલી સીરિઝમાં શાનદાર બેટિંગ કરી હતી. તે આ સીરિઝમાં સૌથી વધારે રમ બનાવનાર બેટ્સમેન હતા. ઓસ્ટ્રેલિયાના સામે તેમણે પાંચ મેચોમાં 55.75ની ઔસતથી 223 રન બનાવ્યા હતા. આ સમયે તેમના નામે એક સેન્ચુરી પણ નોંધાઈ.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button