![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/INDIA-ALLIANCe-780x450.jpg)
- વિપક્ષ ગઠબંધનની ચોથી બેઠક દિલ્હી ખાતે
- મમતા બેનર્જીએ PM પદ માટે ખરગેનાં નામનો પ્રસ્તાવ મૂક્યો
- કેજરીવાલે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું
I.N.D.I.A એલાયંસની ચોથી બેઠક આજે દિલ્હીની અશોકા હોટલમાં થઈ રહી છે. આ બેઠક માટે વિપક્ષી દળનાં નેતાઓ હાજર રહ્યાં છે. કોંગ્રેસનાં પ્રમુખ નેતાઓ સહિત લાલૂ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ આ બેઠકમાં સામેલ થયાં છે. ગઠબંધનની પહેલી ત્રણ બેઠકો ક્રમશ: પટના, બેંગલોર અને મુંબઈમાં થઈ હતી.
ખરગે બને PM પદનાં ઉમેદવાર
ઈન્ડિયા એલાયંસની બેઠકમાં પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જીએ PM પદનાં ઉમેદવારનાં નામને લઈને ચર્ચા કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખરગેને PM પદનો ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. AAP નેતા અરવિંદ કેજરીવાલે મમતા બેનર્જીનાં આ પ્રસ્તાવનું સમર્થન કર્યું.
EVM પર ચર્ચા
સૂત્રો અનુસાર વિપક્ષી ગઠબંધનની આ બેઠકમાં વિપક્ષી નેતાઓની વચ્ચે EVMને લઈને ચર્ચા થઈ છે. શક્ય છે કે ગતચૂંટણીમાં વિપક્ષ દ્વારા EVM માં ખામીને લઈને લગાડવામાં આવેલા આરોપોને લઈને ચર્ચા કરવામાં આવી હોય.
કોંગ્રેસે બનાવી કમિટી
આ બેઠકથી પહેલા કોંગ્રેસે 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 5 મેંબર્સની નેશનલ એલાયંસ કમિટી બનાવી હતી. અશોક ગહેલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશ તેના મેંબર્સ છે. તો મુકુલ વાસનિકને કમિટીનાં સંયોજન બનાવવામાં આવ્યાં છે.