ગુજરાતરાજનીતિ

ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ પર યોજાશે પેટાચૂંટણી, આ તારીખે થશે મતદાન

લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે સાથે જ ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા માટે 7 મે 2024 પેટાચૂંટણી યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. જ્યારે વિસાવદરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર હાલ પેટાચૂંટણી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે

 

હાલ ગુજરાત વિધાનસભાની શું છે સ્થિતી?

હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિની વાત કરવામાં આવે તો 182 સીટ પર 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. તો ત્યારથી અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટા-ચૂંટણી યોજાશે. હવે લોકસભાની સાથે વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રસાકસીવાળું બની શકે છે.

કઈ કઈ બેઠક પરથી કોના રાજીનામાં પડ્યા?

  • માણાવદર-કોંગ્રેસ-અરવિંદ લાડાણી
  • ખંભાત-કોંગ્રેસ- ચિરાગ પટેલ
  • વિજાપુર-કોંગ્રેસ-સી.જે.ચાવડા
  • પોરબંદર-કોંગ્રેસ-અર્જુન મોઢવાડિયા
  • વિસાવદર-AAP-ભૂપત ભાયાણી
  • વાઘોડિયા-અપક્ષ-ધર્મેન્દ્રસિંહ વાઘેલા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button