આજે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. 6 થી 7 તબક્કામાં મતદાન થઈ શકે છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 થી 20 એપ્રિલની વચ્ચે થઈ શકે છે. તારીખોની જાહેરાત પછી જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે આ વાત તો બધા જાણતા જ હોય છે.પંરતુ ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ તેનો અમલ કોણ કરે છે, કઈ વસ્તુઓ પર પ્રતિબંધ લાગે તો કેટલી વસ્તુ પર મળે છે છૂટ આવ અનેક પ્રશ્નોના જવાબ મોટા ભાગના લોકો જાણતા નથી તો આજે આપણે એવા જ કેટલા પ્રશ્નોના જવાબ વિશે વાત કરીશું.
આચારસંહિતા કોને કહેવામાં આવે છે?
આંચરસંહિતા લાગુ થયા બાદ કેટલી વસ્તુઓ પર પ્રતિબંધ લાગે છે?
- સરકારને લોકશાહી જાહેરાતો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે.
- સરકાર કોઈ નીતિગત નિર્ણય લઈ શકતી નથી અને નવી કોઈ યોજનાઓ લાગુ કરી શકાતી નથી.
- મંત્રીઓ સરકારી ખર્ચે ચૂંટણી સભા કે રેલીઓનું આયોજન કરી શકતા નથી.
- મંત્રીઓ તેમના નિવાસસ્થાનથી ઓફિસ જવા માટે માત્ર સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે પરંતુ તેનો ઉપયોગ ચૂંટણી રેલીઓ અને પ્રવાસો માટે કરી શકતા નથી.
- મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી ન શકાય.
- આચારસંહિતા હેઠળ સરકાર કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટિંગ થઈ શકતું નથી.