માંગરોળરાજનીતિ

માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પદે પીપોદરા ગામના જયેશ પટેલની વરણી

માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પદે પીપોદરા ગામના જયેશભાઈ પટેલની વરણી થઈ હતી. મહામંત્રી પદે કેતનસિંહ સુરમા અને હરિવદનભાઈ ચૌધરીની વરણી કરાઈ હતી. નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપના આગેવાનોએ અભિનદન આપ્યા હતા.

માંગરોળ ખાતે નવનિયુક્ત પ્રમુખ મહામંત્રીનું સ્વાગત સન્માન ભાજપના અગ્રણીઓ દ્વારા કરાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી માંગરોળ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખની વરણીને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. આજે સત્તાવાર રીતે જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા માંગરોળ તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ પદે પીપોદરા ગામના જયેશભાઈ પટેલ અને મહામંત્રી પદે શેઠી ગામના કેતનસિંહ સુરમા તેમજ ઇસનપુર ગામના સરપંચ હરીવદનભાઈ ચૌધરીની મહામંત્રી પદે વરણી કરાયાની જાહેરાત કરાઈ હતી. જેને લઇને ભાજપના કાર્યકર્તાઓમાં ખુશ વ્યાપી ગઈ હતી. ભાજપ અગ્રણી અને સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, હર્ષદભાઈ ચૌધરી સહિત અનેક ભાજપના આગેવાનો કાર્યકર્તાઓએ હાર તોરા કરી નવા સંગઠન પ્રમુખ અને મહામંત્રીનું સ્વાગત સન્માન કરી અભિનંદન આપ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button