માંડવીરાજનીતિ

પ્રધાન મંત્રી આવાસ યોજનામાં પ્રથમ હપ્તો આપી, જૂનું ઘર તોડાવ્યું અને હવે બીજો હપ્તો આપવા તંત્ર લાભાર્થીને ધક્કે ચડાવ્યા

આદિ માનવ કાળનું જીવન જીવવા મજબૂર બનાવી રહ્યું છે તંત્ર

માંડવી તાલુકા પંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાલુકાના અનેક ગામોના અનેક લાભાર્થીઓને આવાસોનો પ્રથમ હપ્તો ચૂકવી બાંધકામ શરૂ કરાયું હતું. ત્યાર બાદ બીજો હપ્તો આજપર્ત ન ચૂકવતાં લાભાર્થીઓના બાંધકામ હાલમાં અટવાય પડયા છે. લોકો એ પોતાનું જૂનું ઘર તો વિખેરી નાખ્યું છે. અને હવે “આકાશ તળે અને ધરતી ઉપર” ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. સામે દિવાળી છે. અને જ્યાં ઘર જ નથી ત્યાં દીવો કેવી રીતે પ્રગટાવવો એવા સવાલો જે તે લાભાર્થી કરી રહ્યા છે.

તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરીએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તાલુકાના 100થી વધારે લાભાર્થીઓને છેલ્લા છ મહિનાથી બીજો હપ્તો ચૂકવવામાં આવ્યો નથી. જેથી લાભાર્થીઓનો સમય તથા નાણાંનો વ્યય થઈ રહ્યો છે. સાથે આવાસનું છત પણ મળતું નથી તો લાભાર્થીઓને બીજો હપ્તો તાકીદે ચૂકવવામાં આવે એવી માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button