![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/p.d.vasava.webp)
કોંગ્રેસના પીઢ આગેવાન અને 2022માં ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની કચેરી ખાતે અર્જુનભાઈ મોઢવાડીયા, મનીષ દોશી સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં પ્રદેશ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાનું સન્માન કર્યું અને ભરૂચ નર્મદામાં કામે લાગી જવા અને કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા તેમના હાથમાં કમાન સોંપી છે.
2017માં કોંગ્રેસના આ આગેવાન પી.ડી. વસાવા ભાજપનો ગઢ બની ગયેલ નાંદોદ વિધાન સભામાં જીત મેળવી હતી અને તેમના આગેવાનીમાં તાલુકા જિલ્લા પંચાયત પણ જીતી હતી. પાંચ વર્ષના શાસન બાદ તેમના કરેલા કામો સહિત તેમની લોકપ્રિયતાને જોઈ ફરી વિધાનસભાની ચૂંટણી 2022માં પી.ડી.વસાવા જીતશે. એ બાબતે કોંગ્રેસના લોકો મજબૂત સંગઠન સાતે ચૂંટણીના કામે લાગ્યા હતા. ત્યારે તેમનું નામ કપાયું અને તેમને કોંગ્રેસ તરફથી ટિકિટ ના મળી અને આ ચૂંટણીમાં ભાજપે જીત હાંસિલ કરી. ત્યારે પ્રદેશ કક્ષાએ કેટલાક લોકોએ પી.ડી.વસાવાએ પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું એવી રજૂઆત કરી હતી.
કોંગ્રેસ કાર્યકરોને નોટીસ આપી અને સસ્પેન્ડ કર્યા આવી ચર્ચાઓએ જોર પકડ્યું. જેમાં પી.ડી.વસાવાનું નામ ખોટી રીતે ઉછળ્યું જેથી આટલા વર્ષો પાર્ટીને માટે ઘસી કાઢનાર પીઢ કોંગ્રેસના આગેવાન સામે આક્ષેપો થાય જેને કારણે થોડું મનદુખ થયું હતું. જોકે કોંગ્રેસના રાષ્ટ્રીય મહા સચિવ ઉષાબેન નાયડુ અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના સાથે મુલાકાત થઈ તેમને સમજાવટ બાદ કોંગ્રેસના પીઢ આગેવાનનો પણ કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ થયો એમ કહી શકાય.
આ બાબતે પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવાએ જણાવ્યું હતું કે, મારા લોહીમાં કોંગ્રેસ છે. કોંગ્રેસ પાર્ટી થકી આજે હું આટલો લોકપ્રિય છું, હું જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં જ રહીશ અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો રહીશ જેમાં કોઈ બે મત નથી. આગામી દિવસોમાં કોંગ્રેસનો સુવર્ણ કાળ શરૂ થશે, આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ કોંગ્રેસની સરકાર બનશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે. લોકો ભાજપ સરકારથી તેની મોંઘવારી અને બેરોજગારીથી કંટાળી ગયા છે. કોંગ્રેસ પણ ગુજરાતમાં 26 બેઠકોમાંથી 20થી વધુ જીતશે. એવો માહોલ ગુજરાતમાં પણ કોંગ્રેસ તરફેણ બની રહ્યો છે.