આજે દિવસ અને રાત એક સરખા રહેશે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
23મી સપ્ટેમ્બર શનિવારના રોજ રાત અને દિવસ દિવસ સરખા સમયનો લોકો અનુભવ કરશે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એક બીજાને છેદે છે. આ છેડને બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની 21મીએ દિવસ અને રાત સરખા હોવાનુ અનુભવ કર્યો હતો અને 21મી જૂને લાંબામાં લાંબો દિવસનો અહેસાસ કર્યા પછી શનિવાર 23મી સપ્ટેમ્બર શરદ શંપાતના કારણે દિવસ અને રાત સરખા હોવાનો અદ્દભૂત અનુભવ માણવા મળશે. 12 કલાકનો દિવસને 12 કલાકની રાત્રી શનિવારે જોવા મળેશે. ત્યારબાદ રવિવારથી દિવસ ક્રમશઃ ટૂંકો થતો જશે અને રાત્રિ લાંબી થતી જશે.
આ અંગે જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સપ્ટેમ્બર માસ સમપ્રકાશીય ઉત્તર ગોળાર્ધમાં રહેતા માટે પાનખરનો પ્રથમ દિવસ અને દક્ષિણ ગોળાર્ધમાં રહેતા કોઈ પણ માટે વસંતનો પ્રથમ દિવસ દર્શાવે છે. વિષુવવૃતના દિવસે પથ્વી પર દરેક જગ્યાએ દિવસ અને રાત્રીના લગભગ 12 કલાક હોય છે. કારણે કે રાશિચક્રના નક્ષત્રોમાંથી સૂર્યની વાર્ષિક યાત્રા તેને અવકાશી વિષુવવૃત પર લઈ જાય છે. ઈકિવનોક્સ શબ્દ લેટિન શબ્દ aequus (equal) (સમાન) અને nox (રાત) પરથી આવ્યો છે. તમે પૃથ્વી પર જ્યાં પણ રહો છો, વિષુવવૃત્તિના દિવસે સૂર્ય ક્ષિતિજ પરના બિંદુથી ઉગે છે. જે પૂર્વમાં આવેલું છે. અને તે બિંદુની નીચે આવેશે. જે પશ્ચિમમાં આવેલું છે. વિષુવવૃત એટલા માટે થાય છે કે પૃથ્વીની સ્પિનની ધરી તેની ધ્રુવીય ધરી સૂર્યની ફરતે તેની ભ્રમણ કક્ષાના સમતલમાં 23.5°ના ખુણા પર નમેલી છે. પૃથ્વી સ્પિન અક્ષની દિશા અવકાશમાં નિશ્ચિત રહે છે. કારણ કે તે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. જ્યારે પૃથ્વીની સૂર્ય તરફની દ્રષ્ટિ રેખા રાશિચક્રના નક્ષત્રોમાંથી પસાર થાય છે. પરિણામે કેટલીયવાર પૃથ્વીનો ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ (જૂનમાં) નમેલું હોય છે, અને ક્યારેક તે તેનાથી દૂર (ડિસેમ્બરમાં) નમેલું હોય છે. આ પૃથ્વીની ઋતુઓને જન્મ આપે છે.
પૃથ્વી દર 365.242 દિવસમાં એકવાર સૂર્યની પરિક્રમા કરે છે અયનકાળ વચ્ચેના મધ્યમવર્તી બિન્દુઓ પર 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે સૂર્ય પૃથ્વીના વિષુવવૃત પર સીધો રહે છે. માર્ચમાં, સૂર્ય વિષુવવૃત્ત પર ઉત્તર તરફ પ્રવાસ કરે છે અને સપ્ટેમ્બરમાં તે દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. પૃથ્વી દર 365.242 દિવસમાં એકવાર સૂર્યની પરિક્રમા કરે છે અને આ તે સમયગાળો છે જેમાં અયન અને સમપ્રકાશીય ચક્ર અને પરિણામે પૃથ્વીની તમામ ઋતુઓ એક બીજાથી બીજા વર્ષમાં પુનરાવર્તીત થાય છે.