તાપી
સોનગઢ તાલુકાના આછલવા ગામમાં બંધ પડેલી પાણીની ટાંકીને કારણે લોકો પરેશાન
સોનગઢના આછલવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી પાણીની ટાંકી હાલ બંધ પડી હોય લોકોને પીવાના પાણી અંગેની મુશ્કેલી પડી રહી છે.
સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા મીની પાણી પુરવઠા યોજના અને અન્ય યોજનાઓ થકી પાણીની ટાંકી ઉભી કરવામાં આવી છે. જો કે આવી ટાંકી અને યોજનાઓ થકી આમ જનતાને કોઈ ફાયદો થતો નથી અને કેટલીક યોજના બંધ પડેલી છે. આવી જ એક પાણીની ટાંકી અને યોજના સોનગઢના આછલવા ગામે બંધ પડી છે.
આ ટાંકી બંધ પડી હોય લોકો હેંડપંપ પરથી પાણી મેળવી કામ ચલાવે છે. સરકાર નલ સે જલ એવી યોજના થકી ગ્રામ્ય વિસ્તારો માં ઘરે ઘરે પાણી પહોંચાડવાનો દાવો કરે છે પણ હકીકત કઈ જુદી જ હોવાનું ચિત્ર જોવા મળે છે. પાણી પુરવઠા વિભાગ સોનગઢ તાલુકામાં બંધ પડેલી પાણી યોજનાઓ ઉનાળા પહેલાં શરૂ કરે એ જરૂરી છે.