નર્મદા
દેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ અંગે આદિવાસી સમાજને ધરણાં યોજવાની પરવાનગી ન મળી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ધરપકડથી બચવા માટે નાસતા ફરે છે તો બીજી તરફ તેમના સમર્થનમાં આદિવાસી સમાજ ભેગો થઇ રહયો છે. તેમના પરિવાર સામે રાજકીય કિન્નાખોરીથી ફરિયાદ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. રાજયભરના આદિવાસી આગેવાનો સોમવારે બપોરે 1 વાગ્યે દેડિયાપાડામાં ભેગા થઇ સરકારના દ્રેષભાવ ભર્યા વર્તન સામે ધરણાંની જાહેરાત કરવામાં આવી છે. પણ નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ પરવાનગી આપી નથી. અણદુ ગામના વિક્રમ વસાવાએ ધરણાંની પરવાનગી માટે કરેલી અરજીને તંત્રએ ફગાવી દીધી છે. જેના પગલે ગામમાં આજે ભારેલા અગ્નિ જેવો માહોલ રહેશે.