ગુનોનર્મદા

નાંદોદ તાલુકાના પોઇચા ગામના મહિલા સરપંચના પતિ 24 દિવસથી ગુમ

લગ્નેતર સંબંધની આશંકા

નાંદોદ તાલુકાના પોઇચા ગામના સરપંચ ઉષાબેન પટેલે પોલીસને આપેલી માહિતી મુજબ તેમના પતિ ભદ્રેશભાઇ 29મી નવેમ્બરના રોજ ઘરેથી રાજપીપળા જવાનું કહીને નીકળ્યાં હતાં. 24 દિવસ બાદ પણ તેઓ ઘરે પરત નહિ આવતાં રાજપીપળા પોલીસને જાણ કરવામાં આવી છે. ભદ્રેશ પટેલ અગાઉ પણ ગુમ થયા હતાં પણ પરિવારજનો તેમને શોધીને પરત લઇ આવ્યાં હતાં. તેઓ બીજી વખત લાપત્તા બન્યાં છે.

પરિવારના સભ્યો તેમને ઘણા સમયથી શોધી રહયાં હતાં પણ કોઇ પત્તો નહિ લાગતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમના ગુમ થવા અંગે તપાસ કરાઇ રહી છે. જોકે, તેઓ લગ્નેતર સંબંધને કારણે ગુમ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. અગાઉ પણ તેઓ આ રીતે ઘર છોડીને ચાલ્યાં ગયાં હતાં.

અમે તપાસ કરાવી પણ છોકરી ગુમ છે
અગાઉ પણ બે-ત્રણવાર ભદ્રેશ ઘરેથી ગયાં બાદ 10-15 દિવસ માટે ગુમ રહ્યાં બાદ પરત હેમખેમ આવી ગયો હતો. તેના ગુમ થયા અંગે પુછતાં તે મિત્રો સાથે ગયો હોવાનું કારણ આપતો હતો. થોડા સમય પહેલાં તેને અન્ય સ્ત્રી સાથે સંબંધની જાણ થતાં ઘરમાં તકરાર થઇ હતી. જે બાદ તે પુન: જતો રહેતાં તે યુવતિના ત્યાં તપાસ કરતાં તે પણ ગુમ હોવાનું માલુમ પડ્યું હતું. > દિનેશ પટેલ , ગુમ થનારના પિતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button