ધાર્મિક
સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા મહા સંમેલનની મહારાષ્ટ્રના નવાપુર (લાલબારી) ખાતે આયોજન
સમાજ દ્વારા હક્ક, અધિકાર માટે બુલંદ અવાજનો આઘાજ
સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા મહારાષ્ટ્રના નવાપુર (લાલબારી) ખાતે તારીખ 14/ 10/ 2023 ના 10:00 કલાકે ભવ્ય મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખ્રિસ્તી સમાજના વિવિધ પડતર પ્રશ્નો બાબતે તથા બંધારણ દ્વારા આપવામાં આવેલ અધિકારોની જાગૃતિ બાબતે ચર્ચાના મુદ્દા બની રહેશે.
મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી દેશમાં સમગ્ર ખ્રિસ્તી/ અનુ. જ. જાતિ સમાજની સાથે દુર્વ્યવહાર તેમજ અત્યાચાર અને હિંસાની ઘટનાઓ અવાર-નવાર વધી રહી છે. પ્રાર્થના ઘરો તોડી પાડવા, સભાઓમાં હુમલાઓ કરવા વગેરે અનેક બનાવો અવાર-નવાર થતાં રહ્યા છે. બંધારણ જોગવાઇઓ અનુસાર નાગરિક સમાજ દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકારો ઉલ્લંઘન ના થાય તેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા મહારાષ્ટ્રના નવાપુર (લાલબારી) ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાસંમેલન દ્વારા સરકાર સામે કેટલીક માંગણીઓ મૂકવામાં આવશે. જેમ કે,
- મણિપુર હિંસામાં યોગ્ય અને સત્ય ન્યાયિક તપાસ અને ન્યાયપણું
- ડી-લિસ્ટિંગ જેવી કાયદાકીય બાબત
- સમાન નાગરિક ધારો
- ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003નું અમલીકરણ
- પ્રાર્થના ઘરોની સુરક્ષા, સંરચના અને કાયદાકીય જોગવાઈ
- શૈક્ષણિક બાબતોમાં બાળકોના શાળા છોડયાના પ્રમાણ પત્રમાં સુધારાઓ