માંડવી

માંડવી નગરમાં માર્ગ નવીનીકરણનું કામ ફરી ખોરંભે

માંડવી નગરપાલિકાના ગત અઢી વર્ષના સાશનકર્તાઓના શાસનકાળમાં શરૂ થયેલ BSNL કચેરી માર્ગના નવીનકીરણમાં ભ્રષ્ટ્રાચાર પથરાયાની ચર્ચા બાદ કામ બંધ કરાયું હતું. ત્યારબાદ કેટલાક સમય પહેલા શરૂ થયેલા કામગીરી હાલ ખોરંભે પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


માંડવી BSNL કચેરી માર્ગની પાલિકાના ગત શાસનમાં નવીનીકરની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ચાલુ કામે જ થયેલ ધોવાણથી ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો હતો અને કામ અટકાવવાની ફરજ પડી હતી.

ત્યારબાદ કેટલાક સમય પહેલા માર્ગ નવીનીકરણની હાથ ધરાયેલી કામગીરી હાલ ખોરંભે પડી જતાં ફરી એકવાર BSNL કચેરી માર્ગ ચર્ચાની એરણે ચઢ્યોછે. હાલમાં કમોસમી વરસાદમાં હાથ ધરાયેલી કામગીરીનું ધોવાણ થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button