ગુનોનર્મદા

સેલંબામાં બજારો ખૂલ્યા ત્યારે શાંતિ ડહોળવાનો જેમણે પ્રયાસ કર્યો હતો તેને પોલીસે દ્વારા દબોચવામાં આવ્યો

નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ લૂંટફાટની ઘટના બની હતી. ત્યારબાદ સાગબારા પોલીસે ફરિયાદ પણ નોંધી હતી. ત્યારે આ કોમી તોફાન પર પોલીસે શાંતિનો માહોલ બનાવી દીધો હતો. ત્યારબાદ આ ઘટનામાં વસીમ નામના ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે તેઓને કેટલાક બુકાની ધારકો ધમકી આપે છે. ત્યારબાદ તેને બીજી ફરિયાદ કરી હતી કે તે જતો હતો તેની પુત્રી સાથે ત્યારે તેની ઉપર કેટલાક બાઈક સવારોએ તેની ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જેની બાળકી અને તેના ઉપર બ્લેડથી ઘા કર્યાત્યારબાદ આ ઘટનામાં વસીમ નામના ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે તેઓને કેટલાક બુકાની ધારકો ધમકી આપે છે. ત્યારબાદ તેને બીજી ફરિયાદ કરી હતી કે તે જતો હતો તેની પુત્રી સાથે ત્યારે તેની ઉપર કેટલાક બાઈક સવારોએ તેની ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જેની બાળકી અને તેના ઉપર બ્લેડથી ઘા કર્યા હોવાની ફરિયાદ સાગબારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

જે બાબતે પોલીસે તપાસ કરી તો ફરિયાદી વસીમનો આરોપ ખોટો નીકળ્યો અને વસીમે જાતે જ બીજા પાસે ધમકી ભર્યા કોલ કરાવતો અને જે હુમલો થયાની ફરિયાદ કરી એ બાબતે પોલીસે ખુલાસો કર્યો કે જેને જાતે બ્લેડના ઘા માર્યા હતા અને આજે આ તમામ ઘટનાને લઈ જે ફરિયાદી હતો. જે આરોપી સાબિત થતા નર્મદા પોલીસે જેની અટકાયત કરી છે. હજુ આ ઘટનામાં એની સાથે કોણ કોણ સામેલ છે જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, સેલંબામાં બિલકુલ શાંતિનો માહોલ થઇ ગયો છે. 29 સપ્ટેમ્બરના જે પથ્થરમારાની ઘટના બની જેના બે દિવસ બાદ શાંતિ સમિતિની બેઠકો કરી આવશ્યક સેવાની દુકાનો શરૂ થઇ ગઈ હતી અને હાલ બિલકુલ શાંતિ છે. વચ્ચે આ વસીમ નામના યુવાને ખોટી ફરિયાદ કરી શાંતિ ડહોળવાની કોશિશ કરી પણ તેની સાથે કોણ કોણ સામેલ છે અને આ કેમ કર્યું જે અંગે પોલીસ હાલ તાપસ કરી રહી છે. આવા કાવતરા ઘડી શાંતિ ડહોળવાની હિંમત કરતા તત્વો સામે પોલીસ કડક એક્શન લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button