અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આજે બપોરે તબિયત લથડી હતી. જે બાદ તેઓેને સારવાર અર્થે તાત્કાલિક KD હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આજે બપોરે તબિયત લથડી હતી. જે બાદ તેઓેને સારવાર અર્થે તાત્કાલિક KD હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. જોકે, પ્રાથમિક સારવાર બાદ શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે.
શાહરૂખ ખાનને લૂ લાગી!
મળતી માહિતી અનુસાર, શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ મેચ જોવા આવેલા બોલિવૂડ એક્ટરને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં આજે બપોરે શહેરની KD હોસ્પિટલ ખાસે લઈ જવાયા હતા.