બારડોલી

સુરત જિલ્લાના બારસડી ગામ પાસે પાટણથી વ્યારા જઈ રહેલી એસટી બસ પલ્ટી મારી

સુરત જિલ્લાના બારસડી ગામ પાસે પાટણથી વ્યારા જઈ રહેલી એસટી બસ પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.

સુરત જિલ્લામાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. વહેલી સવારે બારડોલી નજીક આવેલા બારસડી ગામની સીમમાં પાટણથી વ્યારા જઈ રહેલી એસટી બસ પલ્ટી મારી ગઈ હતી. જેને લઇને ST બસમાં સવાર 16 જેટલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા અને ત્રણ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ ત્રણેયને રજા આપી દેવામાં આવી હતી. અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર ન મળતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Back to top button