ભરૂચરાજનીતિ

નેત્રંગથી ધારાસભ્ય અનંત પટેલ બોલ્યા: ‘પોલીસ મિત્રો સાંભળી લે તમારે અહીં રહેવું હશે તો આદિવાસી સમાજની પરવાનગી લેવી પડશે’

બિરસમુંડાની પ્રતિમાંના સ્થાપન પ્રસંગે વાંસદાના કોંગી આદિવાસી ધારાસભ્યએ પોલીસ, ભરૂચ સાંસદ, ભાજપ સરકાર અને તંત્રને પડકાર ફેંકી આદિવાસી સમાજને 2024 માં ભાજપ હટાવી, આદિવાસી લાવવા હાંકલ કરી હતી.

નેત્રંગમાં બિરસામુંડાની પ્રતિમાં મુકવાને લઈ તંત્રે ચાર રસ્તા ખાતે નોંધાવેલ વાંધા સામે આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસ અને તંત્રને ખુલ્લો પડકાર આપ્યો હતો. હવે હજારો બિરસમુંડા પેદા થયા હોય જીવીશું ત્યાં સુધી ભાજપને મત નહિ આપવાની આદિવાસીઓને હાંકલ કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પણ પડકાર ફેંકી બહુ બબડ બબડ કરતા હોય ગામે ગામ બિરસામુંડાની પ્રતિમા મુકો તો ખરા આદિવાસી સાંસદ કહેવાશો તેમ કહી દીધું હતું.

આજે ચાર રસ્તા નજીક મુકાયેલી પ્રતિમાંમાં કોઈના બાપની તાકાત હોય તો તેને હાથ લગાવી જુએ નું જણાવી, પોલીસવાળા કે માર્ગ અને મકાન વિભાગ આવશે તો આદિવાસી સમાજના રોષનો સામનો કરવો પડશે તેવી ચીમકી આપી દીધી હતી. આટલેથી કોંગી ધારાસભ્યે નહિ અટકી પોલીસ મિત્રોને અહીં રહેવું હોય તો આદિવાસી સમાજની પરવાનગી લેવી પડશે તેમ પણ કહી દીધું હતું. સાથે જ ભાજપ સરકાર અને પોલીસ તંત્રને ચેતવી ચૈતર વસાવા માટે દેડિયાપાડા ભરી દેવાની પણ ચીમકી આપી દીધી હતી. છેલ્લે આદિવાસી સમાજને 2024 માં ભાજપ હટાવો આદિવાસી લાવો નો નારો આપી લડીશું અને જીતીશુ નો રાગ છેડયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button