માંડવી

માંડવી તાલુકાના રોસવાડ ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠાની નહેરના વહેતા ઉંડા પાણીમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો

લાશ વેગી ગમના યુવકની હોવાનું જાણવા મળ્યું

માંડવી તાલુકાના વેગી ગામે રહેતા 42 વર્ષીય યુવક 19મી મે ના રોજથી ગુમ હોય. જેમની શોધખોળ કરવા છતાં મળી આવેલ ના હતા. જેની લાશ રોષવાડ ગામની સીમમાંથી પસાર થતી નહેર માંથી મળી હતી.

માંડવી તાલુકાના વેગી ગામે ગામીત ફળિયામાં રહેતા સચીનભાઈ પુનિયભાઈ ગામીત રવિવારના રોજથી ઘરે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગયા હતા. તેમની શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. 21મી મે ના રોજ રોસવાડ ગામની સીમમાં કે તે પહેલા આગળના ભાગે કોઈ જગ્યાએ કાકરાપાર જમણા કાંઠાની નહેરના વહેતા ઉંડા પાણીમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા સચીનભાઈ પુનિયાભાઈ ગામીત (42) (રહે.વેગી ગામ, ગામીત ફળીયું, તા.માંડવી, જી.સુરત) તરીકે થઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button