નર્મદા

બિજી પત્નિનું જીવ લેવા તત્પર પતિ આખરે જીવ લઈને ગુનો હાથમાં લીધો

પતિએ પત્નિને ઉંઘમાં લોખંડનો ટુકડો કપાળ પર મારતાં પત્નિ ઠાર

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુર ગામે પતિ રામસિંગ કડિયાકામ અને પત્નિ અરૂણાબેન ખેતમજુરી કરી જીવન જીવતાં પતિએ ઉઘમાં જ લોખંડના ટુકડાના બનાવેલ ખાંડણીયાથી કપાળ પર મારી દેતાં લોહીલુહાણ પત્નિનું મૌત આશરે આજરોજ રાત્રે ૨-૪૫ કલાકે નિપજ્યું હતું.

રાણીપુર ગામે રામસિંગ પોહલ્યાભાઈ ઉંમર આશરે ૫૦ કડિયા કામ કરતો હતો .અને તેમની બિજી પત્નિ અરૂણાબેન ઉંમર ૪૨ ખેતમજુરી કરી રાત્રે ઉઘમાં જ પતિ રામસિંગે પોતાના ધંધામાં વપરાતો લોખંડના ટુકડાનો બનાવેલ ખાંડણીયાથી મારી દેતાં પત્નિ અરૂણાબેનને ૧૦૮ એમબ્યુલન્સમાં સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં જ મૌત જીવ ગુમાવ્યો હતો.અરૂણાબેન રામસિંગભાઈની બિજી પત્નિ હતી.તેમણે એક વર્ષ અગાઉ તા.૬/૧/૨૦૨૩ ના રોજ પણ કપાળ પર ચપ્પુના ઘા ઝીંક્યાં હતાં.પણ સારવાર દરમ્યાન જીવ બચ્યો હતો.આખરે આજ તા.૬/૧/૨૦૨૪ ના રોજ જીવ લઈને જ પતિએ ગુનો હાથમાં લીધો છે .મૃતક અરૂણાબેનને પોસ્ટમોડર્મ અર્થે સાગબારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે .આ ગુનાની આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button