બિજી પત્નિનું જીવ લેવા તત્પર પતિ આખરે જીવ લઈને ગુનો હાથમાં લીધો
પતિએ પત્નિને ઉંઘમાં લોખંડનો ટુકડો કપાળ પર મારતાં પત્નિ ઠાર
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/IMG_20240106_195632.jpg)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુર ગામે પતિ રામસિંગ કડિયાકામ અને પત્નિ અરૂણાબેન ખેતમજુરી કરી જીવન જીવતાં પતિએ ઉઘમાં જ લોખંડના ટુકડાના બનાવેલ ખાંડણીયાથી કપાળ પર મારી દેતાં લોહીલુહાણ પત્નિનું મૌત આશરે આજરોજ રાત્રે ૨-૪૫ કલાકે નિપજ્યું હતું.
રાણીપુર ગામે રામસિંગ પોહલ્યાભાઈ ઉંમર આશરે ૫૦ કડિયા કામ કરતો હતો .અને તેમની બિજી પત્નિ અરૂણાબેન ઉંમર ૪૨ ખેતમજુરી કરી રાત્રે ઉઘમાં જ પતિ રામસિંગે પોતાના ધંધામાં વપરાતો લોખંડના ટુકડાનો બનાવેલ ખાંડણીયાથી મારી દેતાં પત્નિ અરૂણાબેનને ૧૦૮ એમબ્યુલન્સમાં સારવાર અર્થે લઈ જતાં રસ્તામાં જ મૌત જીવ ગુમાવ્યો હતો.અરૂણાબેન રામસિંગભાઈની બિજી પત્નિ હતી.તેમણે એક વર્ષ અગાઉ તા.૬/૧/૨૦૨૩ ના રોજ પણ કપાળ પર ચપ્પુના ઘા ઝીંક્યાં હતાં.પણ સારવાર દરમ્યાન જીવ બચ્યો હતો.આખરે આજ તા.૬/૧/૨૦૨૪ ના રોજ જીવ લઈને જ પતિએ ગુનો હાથમાં લીધો છે .મૃતક અરૂણાબેનને પોસ્ટમોડર્મ અર્થે સાગબારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે .આ ગુનાની આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે .