ગુનોમાંગરોળ

પતિએ મારઝુડ કરી કાઢી મુકતા માંગરોળ તાલુકાના એક ગામમાં પીડિત બહેનના વહારે 181ની ટિમ આવી

માંગરોળ તાલુકાના એક ગામમાં પીડિત બહેનને તેના પતિએ અવાર નવાર બોલાચાલી થયેલ હોય. શક વહેમ કરી મારમારી કરી ઘરમાંથી નીકળી જવા જણાવતાં પરિણીતાએ આખરે કંટાલીને 181 મહિલા હેલ્પલાઈનને ફોન કરી મદદ માંગી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચી પતિનું કાઉન્સિલિંગ કરી પરીણિતાનું સંસાર તૂટતા બચાવ્યું હતું. માંગરોળ તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની પરિણીતાના લગ્નના 20 વર્ષ થયેલ હોય. તેમના લગ્ન જીવન દરમિયાન બે સંતાન હોય. પીડિત બહેનના પતિ અને અવાર નવાર બોલાચાલી થતી હોય. પતિ શક વહેમ કરી ઝઘડો કરે છે. પતિ વ્યસન કરી ગાળાગાળી કરી ને મારઝૂડ કરતા હોય તેમજ કમાઈ ને ઘરમાં પેસા આપતા ન હોય. તેમજ ઘરમાંથી નિકળી જવા કહે તેથી કંટાળીને પરીણિતાએ 181 ની મદદ લીધી હતી.

આમ પીડિત બહેન સાથે વાતચીત કરતા. તેમના પતિનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ હતું. બારડોલીની ટીમે બંને પક્ષોને સમજાવેલ અને પતિ ને કાયદાકીય સમજણ આપેલ. તેમના પતિએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. તેમના પતિએ ફરી વ્યસન કરી ફરી મારઝૂડ કે ગાળાગાળી ન કરે, અને ઘરમાં કમાઈ ને રૂપિયા આપવાની જવાબદારી નિભાવવાની લેખિત બાહેધરી આપતાં પીડત બહેન સંસાર ન તૂટે તેથી પતિ સાથે સમાધાન કરવામાં આવેલ. આમ પતિ પત્નીના સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button