તાપીરાજનીતિ

રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ વ્યારા સુગરની મુલાકાત લઈ સમિક્ષા કરી

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ ખુશાલપુરા (વ્યારા) ખાતેની સુગર ફેકટરી સાઇટની મુલાકાત લઇ, કસ્ટોડિયન કમિટી સાથે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ફેક્ટરી અંગેની સમગ્ર સમસ્યા અને કમીટીના મેમ્બર્સની તમામ રજુઆતોને શાંતિપૂર્વક સાંભળી, જરૂરી સુચનો અને ચર્ચાઓ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ફેક્ટરી શરૂ કરવી જરૂરી છે. જેમાં તેમણે ઉપસ્થિત સૌને આ ફેક્ટરી શરૂ કરવા સહિયારા પ્રયાસો હાથ ધરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button