નર્મદા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામે આધેડ પોતાની પત્ની પિયર ગઈ હોય પત્નીના વિરહમાં ઝેરી દવા ગટગટાવી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામે એક વૃદ્ધે પોતાની પત્ની પિયર ગઈ હોય પત્નીના વિરહમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની વાત કરીએ તો ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામ ખાતે રહેતા બરસીંગભાઈ વસાવાની પત્ની ત્રણેક દિવસ પહેલાં પોતાના પિયર જતી રહી હતી.

પોતાની પત્ની સાથે આખો જીવન વિતાવ્યું હોય અને તે પોતાને પિયરે ચાલી ગઈ હોય પતિદેવના મન ઉપર લાગી આવતા અને પોતાનું જીવન એકલવાયું લાગતા પત્નીના વિરહને સહન ન કરી શકનાર વૃદ્ધે પોતાનું જીવન તેને એકલવાયું લાગતા તેણે આત્મહત્યા કરવાનો મન બનાવ્યો હતો. તુવેરમાં છાંટવાની ઝેરી દવા ગતરોજ ગટગટાવી હતી. પરિવારજનોને ઝેરી દવા ગટગટાવી હોવાનું માલુમ પડતા તેને સારવાર અર્થે ડેડીયાપાડા ખાતેના સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button