ઉમરપાડા

ઉમરપાડાના જંગલમાં ગાયો ચરાવવા ગયેલી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો

ગત રવિવારના રોજ સુરત જિલ્લાના ઉમરપાડાના વડગામના જંગલમાં ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ નજરે ચડતા સ્થાનિકોએ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. જેને લઇને ઉમરપાડા પોલીસ તુરત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક સગીરા ઉમરપાડાની હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતદેહ મળ્યાના ચાર દિવસ અગાઉ સગીરા ગુમ હતી

ગત 20 તારીખના રોજ સગીરા જંગલમાં ગાયો ચરાવવા ગઈ હતી. તે દરમિયાન રહસ્મય રીતે ગુમ થઇ ગઇ હતી. જેને લઇને પરિવારજનો શોધખોળ પણ હાથ ધરી હતી. ત્યારે ચાર દિવસ ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ક્યાં કારણોસર સગીરાનું મોત થયું એ જાણવા પોલીસે પેનલ પીએમ કરાવ્યું હતું. જેમાં સગીરાના પીઠના ભાગે નખથી ઇજા થયેલા નિશાનો મળી આવ્યા હતા. તેમજ દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

સગીરા સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનાર ઇસમને પોલીસે ઝડપ્યો

બનેલ ઘટનાને લઈને પોલીસે અલગ અલગ શકમંદોની પૂછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોડદા ગામના ફતેસિંગ રમેશભાઈ વસાવાની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડેલો અને તેને મૃતક સગીરા ગાયો ચરાવતી હતી. તે દરમિયાન એકલતાનો લાભ લઇ રૂમાલથી મોઢું તથા હાથ પગ બાંધી જંગલમાં ડુંગર ઉપર ઉપાડી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ બાદ સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી

નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ સગીરાએ પોતાના ઘરે કહી દેશે તેવું જણાવતા કોઈને આ વાતની ખબર ન પડે તે માટે નરાધમે ગળું દબાવી હત્યા કરી જંગલમાં ફેંકી ભાગી ગયો હતો. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવસખોર ઇસમ વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.

Related Articles

Back to top button