ભરૂચ
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસ્માર બનતા કોઈક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે કોઈ ઈસમે આ માર્ગ પર ભાજપના ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે
![](http://transparencynews.in/wp-content/uploads/2024/07/bjp.webp)
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસ્માર બનતા કોઈક વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે કોઈ ઈસમે આ માર્ગ પર ભાજપના ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં વિકાસ ચોમાસાની સિઝન શરૂ થતાં જ ધોવાઈ ગયો હોવાની બુમરાણ ઉઠી છે. ત્યારે વાલીયાથી અંકલેશ્વરને જોડતો માર્ગ અંત્યત બિસ્માર બન્યો છે. જેને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે રોડ ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.ત્યારે વિકાસની વાતો વચ્ચે પણ માર્ગના ખસતા હાલ જોઈ કોઈ વ્યક્તિ દ્વારા ભાજપનો ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે.તેવામાં તંત્ર અને વિકાસની બુમો પાડતી સરકાર યોગ્ય પગલાં ઉઠાવે તે અત્યંત જરૂરી છે.