ઉમરપાડા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીએ જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/b2c2c61f-ed97-4aa3-8e71-95fca532769e_1713957567566.webp)
ઉમરપાડા પોલીસ મથક ખાતે નોંધાયેલા મારામારીના ગુનામાં સંડોવાયેલા યુવકે હવે મારું શું થશે તેવું વિચારી હતાશ થઈ ગયો હતો અને જંતુનાશક દવા પી લીધી હતી. યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઉમરપાડા પોલીસ મથક ખાતે થોડા મહિના અગાઉ એક મારામારીનો ગુનો દાખલ થયો હતો. આ મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી અને ઉમરપાડા તાલુકાના માંડણપાડા ગામ ખાતે રહેતો 28 વર્ષીય યુવક મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ચૌધરી જે નોંધાયેલ ગુનાને લઈને ડરી ગયો હતો. મારું શું થશે, મારું સમાધાન થશે કે નહીં તેવા વિચાર કરી ભાંગી પડ્યો હતો. આખરે આપઘાત કરવાનું વિચારી લીધું હતું અને માંડણપાડા ગામની સીમમા આંબાના ઝાડની નીચે જતુંનાશક દવા પી લીધી હતી. સમગ્ર ઘટનાની જાણ યુવકના પરિવારને થતા તેઓ તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ યુવક બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરાઈ છે. ઉમરપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.