![](http://transparencynews.in/wp-content/uploads/2023/07/Third-earthquake-in-Andaman-and-Nicobar-Islands.jpg)
ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. GFZએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 69 કિમીની ઊંડાઈએ હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) મુજબ અગાઉ, 9 જુલાઈએ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેમ્પબેલ ખાડીના દક્ષિણપૂર્વમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કેમ્પબેલ ખાડીમાં સાંજે 7:39 કલાકે ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 69 કિમી હતી.
અફઘાનિસ્તાનમાં શુક્રવારે સાંજે 6.09 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી છે. આ પહેલા 23 જુલાઈના રોજ સવારે 8.46 કલાકે અહીં ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સવારે લગભગ 8.50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, અરુણાચલ પ્રદેશના પેંગિનની ઉત્તરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી. આ પહેલા 22 જુલાઈએ અરુણાચલના તવાંગમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ વર્ષે આવ્યો ત્રીજી વખત ભૂકંપ
આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ ભૂકંપ આ ટાપુઓ પર આવી ચૂક્યા છે. અગાઉ માર્ચમાં નિકોબાર વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 5 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. જ્યારે ગત વર્ષે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 24 કલાક દરમિયાન 3.8 થી 5ની તીવ્રતાના 22 ભૂકંપ આવ્યા હતા.