નર્મદા

ઝારખંડથી નિકળેલ આદીવાસી સુરક્ષા યાત્રા સેલંબા પોહચી અને ડો.આંબેડકરની સ્ટેચ્યું ફુલહાર ચડાવી પ્રવેશ કર્યો.

આંબેડકર ચોક પાસે પોહચી સ્ટેચ્યૂને ફુલહાર ચડાવી પ્રવેશ કર્યો

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વેપારી મથક સેલંબા ગામે આજ રોજ ઝારખંડથી નિકળેલ આદીવાસી સુરક્ષા યાત્રા પોહચી. અનેક રાજ્યોનો પ્રવાસ કરી આજે આદીવાસી સુરક્ષા યાત્રા સવારે ૧૧-૩૦ કલાકે સેલંબા ગામે પ્રવેશ કર્યો હતો. સેલંબામાં ગ્રામ પંચાયત ઓફિસ પાસે અનાવરણ કરવામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહારથી પુજા અર્ચના કરી આગળ વધ્યા હતા. અને  ત્યાંથી બિરસામુંડા ચોક પાસે પોહચી સ્ટેચ્યૂને  પણ ફુલહાર ચડાવી પુજા અર્ચના કરી હતી.  અને સેલંબામાં આદીવાસી સુરક્ષા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આદિવાસી સમાજના આગેવાનો અને લોકોની મુલાકાત લેતાં આદીવાસી સમાજ તરફથી ઘણો પ્રતિસાદ મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button