નર્મદા

નંદુરબારથી રાજકોટ જતી વેળા માર્ગમાં બનેલો બનાવ, ધનશેરા પાસે શોર્ટ સર્કિટથી આગ લાગતાં કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રક ભસ્મીભૂત

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનશેરા ગામ પાસે નંદુરબારથી કપાસની ગાસંડીઓ ભરીને રાજકોટ ખાતે જતી ટ્રકમાં સવારના 10 કલાકના અરસામાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. ધુલિયા જિલ્લાના ફાગણા ગામના ડ્રાઈવર કરીમ રેહમાન ફકીર જે ટ્રક લઈને નંદુરબાર થી કપાસની ગાંસડીઓ ભારી રાજકોટ જઈ રહ્યા હતાં.

સોમવારે સવારના 10 કલાકના અરસામાં અચાનક એન્જીનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ડ્રાઇવર અને કલીનર કેબિનમાંથી નીચે ઉતરી જતાં તેમનો બચાવ થયો હતો. આગ પર કાબુ મેળવાય તે પહેલાં આખી ટ્રક ભસ્મીભૂત થઇ હતી. સાગબારા તાલુકામાં આગના બનાવો છાશવારે બનતાં હોય છે પણ ફાયરબ્રિગેડની સુવિધા નહિ હોવાથી તાત્કાલિક મદદ મળતી નથી. રાજપીપળા કે અંકલેશ્વરથી લાશ્કરો બોલાવવાની ફરજ પડતી હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button