બારડોલી

સુરત જિલ્લાના બારડોલી નગર ખાતે સ્વરાજ આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતપેદાશોનું વેચાણ શરૂ

સુરત જિલ્લાના બારડોલી નગર ખાતે અઠવાડિયામાં બે દિવસ સ્વરાજ આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે. બારડોલીના નગરજનો પણ શુધ્ધ અને સાત્વિક ખેતપેદાશોની હોશે હોશે ખરીદી કરી રહ્યાં છે.

રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે સુરત જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ખેડૂતોને ઘર આંગણે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકે તે માટે જિલ્લાના આત્મા પ્રોજેકટના સહયોગથી બારડોલી તાલુકા મથક ખાતે અઠવાડિયામાં બે દિવસ 4:30થી 7:30 વાગ્યા સુધી સ્વરાજ આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પોતાના શાકભાજી, કઠોળ, અનાજ જેવી ખેતપેદાશો પોતાની ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે.

રસાયણમુકત ખેતીથકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડૂતો પ્રયાસ કરી રહ્યાં છે. બારડોલીના નગરજનો પણ શુધ્ધ અને સાત્વિક ખેતપેદાશોની હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે. જેથી વધુમાં વધુ પ્રજાજનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી ખરીદી કરીને પ્રોત્સાહન આપે તેજ સમયની માંગ છે.

Related Articles

Back to top button