માંડવીશિક્ષણ

માંડવીની દેવગઢ આશ્રમશાળાના બે વિદ્યાર્થીઓ વરેહ નદીમાં ડૂબ્યા

મૃતદેહ જોઈ પરિવાર શોકમગ્ન થયો

માંડવી તાલુકાનાં દેવગઢ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ઉમરપાડા તાલુકાનાં જોડવણ ગામના બે બાળકો સાવન વસાવા અને હિતેશ વસાવા કુમાર શાળામાં અભ્યાસ કરતાં હતા. બંને ધોરણ 11માં અભ્યાસ કરતાં હતા. મંગળવારે શાળામાં રજા હોવાથી બપોરના બંને અન્ય મિત્રો સાથે આશ્રમ શાળાની નજીકથી પસાર થતી વરેહ નદીમાં નહાવા ગયા હતા.

ત્યારે સાવન અને હિતેશ નદીના પ્રવાહમાં તણાવા લાગતાં મિત્રોએ બૂમાબૂમ કરી હતી. આથી સ્થાનિક લોકોએ આવી બચાવ કામગીરી શરૂ કરી હતી. સંચાલકો માંડવી પી.આઈ. હેમંત પટેલ સહિત કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે બંને વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી શોધખોળ કર્યા બાદ અંતે બંને વિદ્યાર્થીઓની લાશ હાથ લાગી હતી. બે બાળકોના મૃતદેહ જોઈ પરિવાર શોકમગ્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button