દેશરાજનીતિ

શું ગુજરાતમાં રૂપાલાના વિવાદનો આવશે અંત? કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આપ્યા સંકેત

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે રૂપાલા વિવાદને લઈ કહ્યું કે, વિવાદનો ટુંક સમયમાં અંત આવશે. જાતિ, પંથ, ધર્મ વિરૂદ્ધ અમારી પાર્ટી નથી

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં હાલ કોઈ ચર્ચામાં મુદ્દો હોય તો તે છે રુપાલા અને રાજપૂતો. રુપાલા ચૂંટણી લડવા માટે અડીખમ છે તો બીજી તરફ રાજપૂતો રુપાલાને હટાવવા મક્કમ છે. આ લડાઈ કયારે એટકશે તે તો આવનાર સમય બતાવશે પરંતુ આ બધાની વચ્ચે આ વિવાદ મુદ્દે કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું છે. જુઓ વીડિયો શું કહ્યું ?

‘જલ્દી જ આ વિવાદનો અંત આવશે’

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે રૂપાલા વિવાદ શમવાનો સંકેત આપ્યો છે. રાજસ્થાનના જયપુરમાં પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું કે, વિવાદનો ટુંક સમયમાં અંત આવશે. જાતિ, પંથ, ધર્મ વિરૂદ્ધ અમારી પાર્ટી નથી. જલ્દી જ આ વિવાદનો અંત આવશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button