![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/images-1-1-640x470.jpeg)
હવામાન વિભાગ દ્વારા કરાયેલા આગાહી અનુસાર પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવાના કારણે હવામાનમાં ફેર પલટો થવાની શક્યતા છે. જેના કારણે આગામી તારીખ 12 અને 13 એપ્રિલ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જેને લઈને ખેડૂતો ચિંતાતુર છે. ખેતરોમાં હાલમાં ઉભો પાક જોવા મળે છે. જેમાં જુવાર, મગ, તલ, મકાઈ, તરબૂચ, અને શક્કર ટેટી વગેરે પાકો જોવા મળે છે. આ પાકો માટે એક તો આજુબાજુ વિસ્તારોમા મોટું માર્કેટ નથી. અને યોગ્ય ભાવ પણ મળતા નથી અને તેમાં પણ હવે કમોસમી વરસાદ જો આવી જાય તો ખેડૂતોની મરી જવાની હાલત થશે. હવે જોવું એ રહ્યું કે, આ સમસ્યાઓ માટે સ્થાનિક તંત્ર શુ વ્યવસ્થા કરે છે કે પછી?…..