![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
વાલોડ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ બાદ પદાધિકારીઓની નિમણૂક થઇ હતી, જેમાં આજે વિધિવત વાલોડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે મનીષાબેન પટેલ અને સામાજીક ન્યાય સમિતિની અધ્યક્ષ તરીકે દર્શનાબેન પરમારની વરણી થઇ હતી, જેમાં સામાન્ય સભામાં આ બાબતે સર્વાનુમતે નિર્ણય જાહેર કરવામાં આવ્યું હતું. કારોબારી અધ્યક્ષ તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે ચુંટાયેલા ભાજપના 9 સભ્યોએ તથા વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ ટ્વિંકલ પટેલ, પંકજભાઈ ચૌધરી, ઉદય દેસાઈ અને પંકજ વખારીયા સહિતના આગેવાનોએ પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.