- પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા ભાજપમાં જોડાયા
- પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે સી જે ચાવડાએ કર્યા કેસરિયા
- કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો પણ ભાજપમાં જોડાય
વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા ભાજપમાં જોડાયા છે, તેમની સાથે તેમના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડાએ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે.
સી જે ચાવડા ભાજપમાં જોડાયા
વિજાપુર ખાતે સી જે ચાવડા સાથે અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોને ઉપસ્થિત રહ્યાં હતાં. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, બહુચરાજી, ઊંઝા, કડીના ધારાસભ્યો, લોકસભા સાંસદ શારદાબેન પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
સી.જે.ચાવડાએ શું કહ્યું ?
સી.જે. ચાવડાની સફર કોંગ્રેસ સાથે લાંબી રહી હતી. દાયકાઓની કોંગ્રેસની સફરમાંથી હવે સી.જે.ચાવડાએ પોતાનો રસ્તો બદલ્યો છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, મેં ધારાસભ્ય પદથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. વધુમાં કહ્યું કે, હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું અને મેને જે કામગીરી આપવામાં આવશે તે કામગીરી કરીશ. મને ખ્યાલ છે કે, આ વિજાપુર તાલુકામાં કોને શું જોઈએ છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શક્તો નથી. કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. રામમંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય નથી.