માંડવી

માંડવીમાં આદિવાસી સુરક્ષા યાત્રાનું સ્વાગત

9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ જનનાયક બિરસા મુંડાજીના જન્મસ્થળ ઉલિહાતું ખાતેથી આદિવાસી સુરક્ષા યાત્રા નીકળેલી યાત્રા માંડવી ખાતે આવી પહોંચી હતી. માંડવી બિરસામુંડા ચોક ખાતે ઉષ્માભેર ફુલહાર તેમજ પુષ્પગુચ્છ આપી હાર્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બિરસા મુંડા ચોક ખાતે પ્રતિમાને ફુલહાર અર્પણ કરી યાત્રાના આગેવાન રાજુભાઈ વળવાઈ દ્વારા આ યાત્રા વિશે માહિતી આપી અને યાત્રાને આગળ વધારી હતી.

આદિવાસી સુરક્ષા યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં યુવા આદિવાસી અગ્રણી મિતુલ ચૌધરી કમલેશભાઈ ચૌધરી શંકરભાઈ ચૌધરી તથા પ્રભુદાસ ચૌધરી વગેરે માંડવી તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી યાત્રા માંડવીમાં આવી પહોંચતા સ્વાગત કરાયુ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button