![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/rataniya.webp)
ભારત સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના રતનિયા ગામે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું.
આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મર્મ દરેક ગામના વ્યક્તિઓ સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના થકી આરોગ્યની કેશ લેશ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.