![](http://transparencynews.in/wp-content/uploads/2024/02/પ્લેસેસ-ઓફ-વર્શિપ-એક્ટ_-780x470.jpeg)
- કોંગ્રેસ સરકારે રામ મંદિર આંદોલનને ધ્યાને રાખી 1991માં ‘પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ’ લાગુ કર્યો હતો
- એક્ટ મુજબ 15 ઓગસ્ટ-1947 પહેલા બનેલા કોઈ પણ ધાર્મિક સ્થળને અન્ય ધર્મસ્થળમાં પરિવર્તિત ન કરી શકાય
ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહે ‘પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ’ને નાબૂદ કરવાની માંગ કરી છે. જ્ઞાનવાપી કેસ બાદ ઘણા નેતાઓ કહી રહ્યા છે કે, ‘પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ’નું પાલન થવું જોઈએ. આ એક્ટ મુજબ કોઈ પણ ધાર્મિક સ્થળને અન્ય ધર્મસ્થળમાં પરિવર્તિત કરી શકાતો નથી અને જો તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો દંડ અને સજાની પણ જોગવાઈ છે. તત્કાલીન કોંગ્રેસ સરકાર રામ મંદિર આંદોલનને ધ્યાને રાખી 1991માં આ કાયદો લાવી હતી.
‘પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ’ શું છે ?
કોંગ્રેસની તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે રામ મંદિર આંદોલનને ધ્યાને રાખી 1991માં ‘પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ’ લાગુ કર્યો હતો. એક્ટના નિયમો મુજબ 15 ઓગસ્ટ-1947 પહેલા બનેલા કોઈપણ ધાર્મિક સ્થળને અન્ય ધર્મસ્થળમાં પરિવર્તિત ન કરી શકાય. આ ઉપરાંત જો કોઈના દ્વારા ધાર્મિક સ્થળમાં ફેરફાર કરી તેનું મૂળ સ્વરૂપ બદલવા ઈચ્છે તો તેને ત્રણ વર્ષની કેદ અને દંડ થઈ શકે છે.
એક્ટના નિયમોમાંથી આ સ્મારકો બાકાત
દેશમાં મથુરા, કાશી સહિતના ધાર્મિક સ્થળો પર હિન્દુ અને મુસ્લિમોના માલિકી હક્કના વિવાદને અટકાવવા ‘પૂજા સ્થળ અધિનિયમ 1991’ કાયદો લવાયો હતો. અયોધ્યામાં રામ મંદિર કેસની સુનાવણી દરમિયાન પણ આ એક્ટનો ઉપયોગ કરાયો હતો. પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ-1958 હેઠળ આવતા અવશેષોને આ કાયદો લાગુ પડતો નથી. આ ઉપરાંત આ કાયદામાં નિરાકરણ અને સમાધાન થયેલ કેસોનો પણ સમાવેશ થતો નથી.
કાયદામાંથી 15 ઓગસ્ટ-1947 પહેલાના કેસો બાકાત
અયોધ્યા વિવાદમાં આ કાયદો દૂર રખાયો હતો, કારણ કે આ મામલો અંગ્રેજોના સમયથી કોર્ટમાં વિચારાધીન હતો. આવી સ્થિતિમાં અયોધ્યા કેસમાં તેને અલગ રાખવામાં આવશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, આ કાયદો 15 ઓગસ્ટ-1947 પહેલાના કેસોમાં લાગુ થતો નથી.