![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
નિવાલ્દા ખાતે કાર્યરત શ્રી રામ પેટ્રોલિયમના મેનેજરે કરેલી લેખિત ફરિયાદ મુજબ ડેડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની જીજે 22 પી 1413 નંબરની સફેદ ક્રેટાની ટાંકીમાં પેટ્રોલ ફુલ કરવા જણાવ્યું હતું. કારની ટાંકી ફુલ થઈ ત્યારે એમણે પેટ્રોલ પંપના સ્ટાફને જણાવ્યું કે 50 લિટરની ટાંકીમાં 55 લીટર પેટ્રોલ કેવી રીતે આવ્યું. સાથે સાથે ટીડીઓ પેટ્રોલ પંપ નજીક સિગારેટ પીતા હતા ત્યારે ટીડીઓએ પેટ્રોલ પંપના સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે હું દેડીયાપાડા ટીડીઓ છું, બધું ચાલે તમે શું કરી લેશો. અને પેટ્રોલ પંપના સ્ટાફને કહ્યું કે નાણા નહિ મળે તુ ફરિયાદ બુક લાવ.ફરિયાદ બુકમાં ફરિયાદ લખી તેઓ નાણા આપ્યા વગર જઈ રહ્યા હતા અને કહ્યું હતું કે આવતી કાલે હું જોઈ લઈશ તારો પેટ્રોલ પંપ કઈ રીતે ચાલે છે .
આવી કોઇ ઘટના બની નથી આવી કોઈ ધટના બની નથી.એ લોકોએ 50 લીટરની ટાંકીમાં 60 લીટર પેટ્રોલ પુર્યું. એટલે શંકાસ્પદ લાગતા મે એ બાબતે ડીએસઓને પણ ફરિયાદ કરી છે. અને પેટ્રોલ પંપની ફરિયાદ બુકમાં પણ મે ફરિયાદ લખી છે.મે પેટ્રોલ પંપના સ્ટાફને કહ્યું કે મિકેનિક પાસે ટેન્ક ખોલાવી ચેક કરાવો.અને હુ પેટ્રોલ પંપ પર નહિ બહાર રોડ ઉપર સિગરેટ પીતો હતો. > જગદીશ સોની, ટીડીઓ, દેડિયાપાડા.