ગુજરાતદેશરાજ્યવિશ્વ

વિશ્વ આદિવાસી દિવસ 2023: જાણી-અજાણી વાતો

આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં  આદિવાસી  તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આપણાં દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે. પહેલાં આ જાતિમાં ભણતર લગભગ નહિવત હતું. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે. તેમ છતાં પણ અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.

તેમ છતાં પણ તેમનામાં સાક્ષરતા દર ખાસ્સો વધ્યો છે. ૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતા દર ૬૨.૫% હતો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૪.૮% વધારે હતો. તેમાં પણ મહિલા સાક્ષરતા દરમાં તો ખૂબ જ પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૭.૨% વધુ હતો.

ગુજરાત રાજ્યનાં આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કુકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.

ઝોળી લઈને ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે. આની પાછળનો હેતુ અનાજને ઉંદરથી થતાં નુકસાનથી બચાવવાનો છે.

નંદુરો દેવ

વર્ષનાં પહેલાં વરસાદ સાથે આ તહેવાર સંકળાયેલો છે. પહેલાં વરસાદનાં આગમન પછી જ્યારે ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે.

આ તહેવારમાં નારીયેળ ફોડી, જમીન પર દારુ રેડી અને મરઘી કે બકરાની આહુતિ આપી પૂજા કરાય છે અને પ્રાર્થના કરાય છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમ્યાન વગર કોઈ હાનિ સામે ટકી રહે જેથી તેમનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહીનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.

વાઘ દેવ

આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારોમાં ગીચ જંગલ હતું ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. વાઘ એ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે. તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નારીયેળ તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ તર્પણ કરાય છે.

ચૌરી અમાસ

વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક થઈ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.

દિવાસો

દિવાસો એ દક્ષિણ ગુજરાતમાં ઉજવાતો આદિવાસી સમાજનો ઘણો મોટો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે, “દિ’ વાળે એ દિવાસો”. દિવાસાનાં દિવસથી સોમાં દિવસે દિવાળી આવે છે.

ગુજરાતના નવસારી શહેરના દાંડીવાઽ વિસ્તારમાં આ તહેવાર આશરે ૧૦૦ વર્ષથી હળપતિ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવે છે. તેમાં ઢીંગલા દેવની પૂજા કરવામાં આવે છે, તેમજ તેમનો ખૂબ ધામધૂમથી વરઘોડો કાઢવામાં આવે છે.

આ ઉપરાંત પણ દક્ષિણ ગુજરાતનાં ઘણાં બધાં વિસ્તારોમાં આવો વરઘોડો કાઢવામાં આવે છે.

પારંપરિક દેવી-દેવતાઓ

દેવમોગરા માતા

સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં દેવમોગરા નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનું પવિત્ર યાત્રાધામ છે. પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા માટે લોકો આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે

નોકટી દેવી

રાવણની બહેન રાક્ષસી શૂર્પણખાનું આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઈનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઈ છે.

પાંડોર દેવી

આ દેવીને તેઓ રક્ષકદેવી તરીકે પૂજે છે. તેને માતા પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. મોટા ભાગે આ માતાજીની સ્થાપના ગામની બહાર મોટા વૃક્ષની નીચે કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોનાં રમકડાં જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવું માનવામાં આવે છે.

કંસરી માતા

આ દેવીને તેઓ અન્નદેવી તરીકે પૂજે છે. અન્નપૂર્ણા માતાનું જે સ્થાન અન્ય સમાજમાં છે તે જ સ્થાન કંસરી માતાનું આદિવાસી સમાજમાં છે. કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછી જ એ અનાજને ખાવા માટે વાપરે છે.

દેવલીમાડી

દેવલીમાડી સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ દેવસ્થાન છે. દેવલીમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો પૂજા કરવા જાય છે. ત્યાં દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો આવતાં હોય છે.

ભવાની માતા

ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.

ઈંદલા દેવી

તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં  સોનગઢથી  ઉચ્છલ  વચ્ચેના જંગલમાં ઈંદલા દેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઈ વિગત નથી.

આવી બધાંથી અલગ તદ્દન અનોખી રીતભાત ધરાવતાં અને વિશ્વભરના મૂળ નિવાસી અને પ્રકૃતિપ્રેમી એવા આદિવાસીઓને પોતાનો હક્ક, અધિકારો અને સમાજમાં યોગ્ય દરજ્જો મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આ દિવસની ઉજવણી દરમિયાન લોકોને આદિવાસીઓની વીરગાથા તેમજ એમણે આઝાદી દરમિયાન કે અન્ય કોઈ પણ રીતે કરેલ મહાન કાર્યો વિશે અન્ય લોકોને જણાવવામાં આવે છે.

ગુજરાતની વિરાસત એવા આદિવાસી સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિનાં સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે.

સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહીસાગરનાં માનગઢમાં ગુરુ ગોવિંદનાં નેતૃત્વમાં 1600 આદિવાસીઓની શહીદી, વિજયનગરનાં શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિતનાં આદિવાસી વીરોનાં બલિદાન વિશે લોકોને જણાવવામાં આવે છે. ડાંગના રાજાઓ પણ અંગ્રેજો સામે લડ્યા હતા.

આવા આદિવાસીઓની સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો અવસર એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button