રાજનીતિસુરત

બારડોલી આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ખોટી ફરિયાદ થઇ હોવાનો આક્ષેપ

આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખોટો કેસ દાખલ કરાયો હોવાના આરોપ સાથે રાજ્યપાલને સંબોધીને બારડોલી આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલકેટરને આવેદન આપ્યું હતું.

આવેદનમાં જણાવ્યા અનુસાર ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં જંગલના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સમગ્ર ઘટનાની હકીકત દર્શાવતા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, જંગલ કર્મચારીઓ અને ખેડૂતો સાથે સમાધાનના નાણાં ચૂકવાયા તે ખંડણી દર્શાવી ચૈતર વસાવા, એમની પત્ની અને પી.એ. અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી બનાવી તેમની સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button