દેશ

માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત

બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગંભીર હાલતમાં દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા.

બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગંભીર હાલતમાં દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુખ્તાર અંસારી અચાનક બેરેકમાં બેભાન થઈને પડી ગયો હતો. આ પહેલા મંગળવારે તેમને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થઈ ગયું છે. જેલમાં તેમની તબિયત બગડતાં તેમને દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મુખ્તાર અંસારી બેરેકમાં અચાનક બેભાન થઈ ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અગાઉ મંગળવારે તેમને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને સ્ટૂલ સિસ્ટમની સમસ્યા હતી. તેમને 14 કલાક ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્તારે કોર્ટમાં અરજી આપીને આરોપ લગાવ્યો હતો કે તેને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.

ડોક્ટરની સામે મુખ્તારની તબિયત બગડી

કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં ડોક્ટરની સામે પણ તેની તબિયત લથડી હતી. ઉલ્ટી થઈ અને ડોક્ટરને બોલાવવામાં આવ્યા. આ પછી તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. પ્રાથમિક તબક્કે ડૉક્ટરને હાર્ટ એટેક જેવી સ્થિતિ અનુભવાઈ હતી. આ પછી જ્યારે સ્થિતિ કાબૂમાં ન આવી શકી તો તેને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. મુખ્તારની હાલત નાજુક હોવાનું સામે આવ્યું હતું. મુખ્તાર અંસારીની સારવાર માટે ડોક્ટરોની આખી ટીમ તૈનાત કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button