નર્મદા

મા કામલ ફાઉન્ડેશન સંચાલક સામે ફરિયાદ દાખલ

રાજપીપળાનીમાં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક વિરૂદ્ધ રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સંસ્થાના સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ સામે રાજપીપલા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

રાજપીપળા પોલિસ મથકમાં મા કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ ડો.અનિલ કેસરે મા કામલ ફાઉન્ડેશન નામની બુક્લેટ છપાવી તેમાં લોભામણી જાહેરાતો આપી હતી અને વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની ફી પેટે 1 લાખ 74 હજાર 200 તથા 6 હજાર 500 રૂપિયા લીધા હતા .ફી લીધા છતાં પણ કોર્ષ પુર્ણ કર્યો ન હતો. સાથે સાથે પરીક્ષા પણ અપાવી ન હતી તેમ છતાં વિદ્યાર્થીઓને કોઈ સર્ટિફિકેટ, માર્કશીટ નહિ આપી છેતરપિંડી કરી હતી. રાજપીપળા પોલીસે ડો.અનિલ કેસર ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

નર્મદા જિલ્લાના 400 કરતા વધુ વિદ્યાર્થીઓ પાસેથી નર્સિંગ કોર્ષના નામે લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધા બાદ યોગ્ય પરીક્ષા પદ્ધતિ અને સર્ટિફિકેશનની વિદ્યાર્થીઓની માગ સામે સંચાલક દ્વારા ઉદ્ધત વર્તન કરવાની સાથે તેમના ઓરીજીનલ ડૉક્યુમેન્ટ પરત નહિ કરી કનડગતનો મુદ્દે વિવાદ થયો હતો. ત્યારે વિદ્યાર્થીઓને ફી અને ઓરીજીનલ ડૉક્યુમેન્ટ પરત ક્યારે મળે છે એ જોવું રહ્યું.

 

Related Articles

Back to top button