આહવા તાલુકાની 13 ગ્રામ પંચાયતમાં કુલ 17 ઈ – રીક્ષાઓનું લોકાર્પણ

કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે આજ રોજ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડક વ ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે આહવા તાલુકાની 13 ગ્રામ પંચાયતમાં કુલ 17 ઈ – રીક્ષાઓનું લોકાર્પણ કરાયું હતું.
ડાંગ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત જિલ્લાને બનાવવા ગ્રામ્ય વિસ્તારમાં સ્વછતા જાળવવા ઈ -રીક્ષાઓ પંચાયતને આપવામાં આવી છે. તેથી તમામ લોકો સ્વછતા બાબતે જાગૃત બની ઈ – રીક્ષાનો ઉપયોગ કરે તે હિતાવહ છે. આજે લોકાર્પણ થઈ રહેલી ઈ -રીક્ષાના ઉપયોગ અને તે અંગેની ચર્ચા ગ્રામજનો સાથે કરવામાં આવે તે માટે વિજયભાઈ પટેલે સરપંચોને અનુરોધ કર્યો ગામમાં સ્વછતા બાબતે ધ્યાન આપી વિકાસકીય નાના-મોટા કામોનું એક્શન પ્લાન બનાવી ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત બનાવવાની જાહેરાત કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત શૌચાલય મુક્ત બનાવવાની પહેલ કરી છે ત્યારે, આપણો જિલ્લો પણ સ્વછતા શૌચાલય મુક્ત બની રહે તેમજ આજે આહવા તાલુકામાં લોકાર્પણ થયેલ ઈ- રીક્ષાઓ ગ્રામ પંચાયતનું ઘરેણું છે. જે સ્વછતા બાબતે વધુ ઉપયોગી બને. જિલ્લાના આહવા તાલુકામાં – 17, સુબીર તાલુકામાં – 11 અને વઘઈ તાલુકામાં – 11 કુલ 39 ઈ-રીક્ષાની ખરીદી કરવામાં આવેલ છે.
જે અંતર્ગત આહવા તાલુકાની 13 ગ્રામ પંચાયતોમાં કુલ 17 ઈ-રીક્ષા લોકાર્પણ કરવામાં આવી છે. જેમાં આહવા, શામગહાન, ગલકુંડ, પિંપરી, ગાઢવી, દિવાનટેબરુન, ચિંચલી, ભવાનદગડ, ચિકટિયા, ગોટીયામાળ, માલેગામ, બોરખલ, ધવલીદોડ ગામમાં ઈ – રીક્ષાની ફાળવણી કરવામાં આવી છે.
સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ-2 અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે અનુસંધાને ગામના તમામ જાહેર જગ્યાઓ દેખીતી રીતે સ્વચ્છ દેખાય તે માટે ઘેર ઘેરથી નીકળતો સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા તેમજ ગામોમાં ભરાતા હાટ બજારમાંથી નીકળતા કચરાના નિકાલ કરવા માટે વધુ ઘરો ધરાવતી ગ્રામ પંચાયતો માટે વાહનોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લામાં ઈ – રીક્ષાની ફાળવણી કરવામાં આવી છે.




