નવસારી

નવસારીના સુરખાઈ ગામે ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન

આદિવાસી યુવાઓના કૌશલ્ય માટે 240થી વધુ સ્ટોલ ઉભા કરાયા

ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે આદિવાસી રાષ્ટ્રીય વ્યાપાર મેળો આગામી તારીખ-08,09,10 નવેમ્બર – 2024ના રોજ યોજાનાર છે . આ કાર્યક્રમનોનો મુખ્ય ઉદ્દેશ્ય- આદિવાસી નવ યુવાનોને સરકારની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી,ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાનો છે. જેનો પ્રારંભ 8મી નવેમ્બર ના રોજ રોજ સવારે 10 વાગે આદિજાતિ વિભાગના મંત્રી કુબેરભાઇ ડીંડોરના હસ્તે કરવામાં આવશે. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારી થઇ રહી છે. અંદાજીત એક લાખ થી વધુ લોકો ટ્રેડફેરમાં ભાગીદાર બનશે.

આ કાર્યક્રમમાં સરકારના વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન માટે ખેતીવાડી,બાગાયતી પ્રાકૃતિક ખેતી,જિલ્લા ઉધોગ કેન્દ્ર, આદિજાતિ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ,Triefed, બેન્કના બોર્ડ વિગેરે એકમોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેનાર છે. અને તેમના દ્વારા નાણાકીય જોગવાઈ કેવી રીતે મેળવી શકાય, તે અંગેનો વ્યાપાર ધંધામાં આગળ વધવા માટે આયોજન, માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવનાર છે. આ ટ્રાયબલ ટ્રેડ ફેરમાં નવ–યુવાનોમાં ઉત્સાહ અને મેળામાં મુલાકાત લેવા આશરે 50000 થી વધુ લોકો ઉપસ્થિત રહેશે તથા આયોજકો દ્વારા 240થી વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ એવી સાંજે વિવિધ સંસ્કૃતિને આધીન ઘેરીયા નૃત્ય,માદળનૃત્ય, તારપા નૃત્ય, કાહળી, તુર તેમજ ડાંગી નૃત્ય પણ જોવા મળશે. આ આદિવાસી વ્યાપાર મેળો મેગા ટ્રાઈબલ ટ્રેડ ફેરનું ઉદઘાટન માન. કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ અને શિક્ષણમંત્રીના હાથે ખુલ્લુ મુકાનાર છે, જેમાં પ્રેરક ઉપસ્થિતિ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ હાજર રહેશે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

નેશનલ આદિવાસી વ્યાપાર મેળામાં કાર્યક્રમના બીજા દિવસના અધ્યક્ષ એવા કુંવરજીભાઈ હળપતિ,આદિજાતિ ગ્રામવિકાસ, રોજગાર મંત્રી (રાજ્યકક્ષા) દ્વારા ખુલ્લું મુકવામાં આવનાર છે અને તેમની સાથે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ગમનભાઈ પટેલ- ચેરમેન વસુધરા ડેરી, આલીપોર પણ ઉપસ્થિત રહેનાર છે. અને બપોરે વિવિધ ધંધા–ઉદ્યોગમાં સફળ થયેલા વ્યકિત દ્વારા સેમિનાર સાથે માર્ગદર્શન આપવામાં આવશે.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધારાસભ્ય ખેડબ્રહ્મા તુષારભાઈ ચૌધરી, અને ધારાસભ્ય વાંસદા અનંતભાઈ પટેલ, અને સંગઠનના પ્રમુખ બાબુભાઈ ગાંગુડા તેમજ ભરતભાઈ નાયકા અને રાજુભાઈ વલવાઈ (સુખસર) ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળશે.

રાષ્ટ્રીય આદિવાસી વ્યાપાર મેળો માન. માનસિંગભાઇ પટેલ, ચેરમેન સુમુલ ડેરી સાથે અશોકભાઈ ચૌધરી મહાસચિવ એકતા પરિષદ તેમજ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા,ડેડીયાપાડા,એડ. સુનિલભાઈ ગામીત,ડો.રાજન ભગોરા, વિનય કુવરા પણ ઉપસ્થિત રહેનાર છે.અને સાંજે વિવિધ ધંધા-વ્યાપાર મેળામાં સમાજના સંગઠનો થકી વિવિધ સમિતિઓ સાથે મેળામાં જોવા મળેલ ધંધા-રોજગારના સ્ટોલ, સાંસ્કૃતિક તેમજ ધંધા વ્યાપાર માટે આગળની શું વ્યવસ્થા કરવા વિવિધ સમિતિઓ જેવી કે સમસ્ત આદિવાસી સમાજ,લોક મંગલમ ટ્રસ્ટ,ધરમપુર,સ્પર્શ ફાઉન્ડેશન વ્યારા સાથે અંતે રહી ગયેલ ખામીઓ બાબતે ખૂબ જ ગહનપૂર્વક ચર્ચા કરવામાં આવનાર છે.જેમાં શૈક્ષણિક,વ્યાપાર-ધંધા અને આર્થિક, સામાજીક સાથે મહિલાના ઉત્થાન માટે ચર્ચા-પરામર્શ કરી કાર્યક્રમનું સમાપન કરાશે. આ ટ્રાયબલ ટ્રેડ ફેરની મુલાકાત લેવા સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા સૌને અપીલ કરવામાં આવી છે.

Related Articles

Back to top button